• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હવે વિજળીનું બિલ આવશે ઓછું ! રાજ્ય સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા ઘટાડ્યા...જાણો હવે યુનિટ દિઠ કેટલા રૂપિયા થશે?

હવે વિજળીનું બિલ આવશે ઓછું ! રાજ્ય સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા ઘટાડ્યા...જાણો હવે યુનિટ દિઠ કેટલા રૂપિયા થશે?

02:55 PM December 24, 2024 Gujju News Channel Share on WhatsApp

રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા સુધી ઘટાડ્યા છે. જેથી હવે લાઈટ બિલ ઓછું આવશે.



રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા છે. સરકારે Price Of 1 Unit of Electricity વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા સુધી ઘટાડ્યા છે. આ ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું. ત્યારે જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ થશે. ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને 1 હજાર 120 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

► ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો

ગાંધીનગરથી ઉર્જા મંત્રી કનુ દેસાઈનુ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો થશે. ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી થતા હોય છે ત્યારે યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો. ત્યારે આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી. ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ હતી. હવે 2.45 રૂપિયા ટેરિફ થતા ઘટાડાનો નિર્ણય કર્યો છે.

►રૂ 50 થી 60/-ની માસિક બચત થશે

વધુમાં તેમણે કહ્યું કે ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1/10/2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

► 1 કરોડ ઘરો પર સોલાર

આ નિર્ણયના કારણે રાજ્યના ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. અને નવો દર જાન્યુઆરીથી અમલી થનાર છે. જોકે દરમાં સુધારો ન થાય ત્યાં સુધી ઘટાડો લાગું રહેશે. ઉર્જા મંત્રીના જણાવ્યા મુજબ MSME ઉદ્યોગો માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે 100 કેવીથી 150 કેવી કરવામાં આવ્યો છે જેનો ફાયદો ઉદ્યોગોને થશે. ત્યારે 1 કરોડ ઘરો પર સોલાર નાંખવામાં ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે દેશભરમાં કુલ સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં 82 ટકા છે.

► ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

ઉર્જામંત્રીના જણાવ્યા મુજબ ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ. 50થી 60ની માસિક બચત થશે. જેના કારણે રાજ્યની જનતાને આર્થિક રીતે ફાયદો થશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - government reduced fuel charges per unit of electricity In Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us